વીર નર્મદની જન્મજયંતિની ઉજવણી

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન કવન વિશે વ્યાખ્યાન અને તેમની કવિતાઓના યશગાન સાથે તેમની ક્રાંતિકારી વિચારધારાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.